Ticker

6/recent/ticker-posts

પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે પરિ+આવરણ

  પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે પરિ+આવરણ


૧. પ્રસ્તાવના : • આબોહવામાં ફેરફાર , આપણા સમયનો એક ઘણો મોટો અને સૌથી મહત્ત્વનો પર્યાવરણીય પ્રશ્ન છે , જે પર્યાવરણીય નિયમનકારો સમક્ષનો સૌથી મોટો પડકાર બન્યો છે . આ એક નિરંતર વધુને વધુ ગંભીર બનતી જતી કટોકટી છે , જેની આર્થિક , આરોગ્ય , સલામતી , અન્ન ઉત્પાદન વગેરે બાબતો ઉપર અસર વર્તાય છે . 


મેક્સિકોમાં ૫ મી જૂને વિશ્વ પર્યાવરણદિન પ્રસંગે મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદનો મુખ્ય નારો ‘ તમારી પૃથ્વીને તમારી જરૂર છે’– આબોહવામાં પરિવર્તન સામે ટક્કર ઝીલવા એક થાઓ હતો . આ નારા પાછળનો ઉદ્દેશ વિશ્વના દેશનો ક્વોટો સમજૂતિના સ્થાને ડિસેમ્બર -૨૦૦૯ માં કોપન હેગન ખાતે મળનારી પરિષદમાં નવી સમજૂતિ કરવા માટે તૈયાર કરવાનો છે .


• મેક્સિકોએ એની આજુબાજુના પ્રદેશમાં પવનઊર્જા , સૂર્યઊર્જા , બાયોગેસ અને ઊર્જા ઉત્પાદનના અન્યસ્વચ્છ પ્રોજેક્ટોમાં હવે બ્રાઝિલ પછી બીજું સ્થાન મેળવ્યું છે .


 • આજે પણ માનવીની મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓનું આધારબિંદુ પર્યાવરણ જ છે . જો કે માનવ આજે પર્યાવરણનાં અનેક પરિબળો પર અંશતઃ પ્રભુત્વ મેળવી પોતાના બુદ્ધિ કૌશલ્યથી કેટલીક ભૌતિક પ્રગતિ સાધી છે . આજે માનવને ખોરાક , પોશાક , રહેઠાણ ઉપરાંત વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટેનું જરૂરી ભાથું તેમજ કુદરતી સંપત્તિ પર્યાવરણમાંથી જ પ્રાપ્ત થઈ રહી છે . ખેતી , પશુપાલન , ઉદ્યોગો , વાહન વ્યવહાર કે બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિના પાયામાં પર્યાવરણ રહેલું છે .


 * આમ , પર્યાવરણ માનવ જીવનનો એક અંતર્ગત ભાગ બની ગયો છે . પર્યાવરણ પ્રાણીજીવન પર બહુ જ અસર કરે છે , જેમ ભૌતિક અને જૈવિક પ્રકારના પદાર્થો માનવજીવન માટે અગત્યનાં છે તેવી જ રીતે તાજગીભર્યા અને તંદુરસ્તી યુક્ત આરોગ્ય અને ઊંચી ગુણવત્તાવાળા જીવનધોરણ માટે સ્વચ્છ પર્યાવરણ પણ એટલુંજ બલ્કે એનાથી વધુ અગત્યનું છે . 


પર્યાવરણ એ માત્ર કોઈ સ્થળ , પ્રદેશ કે સજીવને સ્પર્શતી બાબત નથી એ સમગ્ર સૃષ્ટિને સ્પર્શતી બાબત છે , એથી પર્યાવરણ પર સમગ્ર માનવજાતના અસ્તિત્વ અને વિકાસનો આધાર રહેલો છે . જીવ સૃષ્ટિ ઉપર પર્યાવરણ અને તેમાં થતા ફેરફારની બહુ જ અસર પડે છે , એટલે પ્રાકૃતિક અથવા માનવક્રિયાથી પર્યાવરણમાં થતા ફેરફારને અને તેની જીવસૃષ્ટિ પર થતી અસરને સમજવી જરૂરી છે જે પર્યાવરણના અભ્યાસક્રમનું અધ્યયન કરવાથી સમજી શકાય છે . 


પર્યાવરણની સ્થિતિ પ્રત્યેની જાગૃતિ આ જગત ઉપર જીવન ગુજારતા બધા જ માનવીઓ માટે જરૂરી છે . વિશ્વ પર્યાવરણ સમસ્યાઓથી ઘેરાયેલો છે જેની અસર જે તે દેશના રહેવાસીઓ પોતાની આંખે જોઈ રહ્યા છે , એટલે વિશ્વના બધા દેશો તેમના લોકોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા જોડાઈ રહ્યા છે . માનવી કુદરતનું અંગ છે , જે કુદરતથી કોઈ પણ રીતે અલગ કે સ્વતંત્ર રહી શકતો નથી . આ સમગ્ર સૃષ્ટિ નૈસર્ગિક પર્યાવરણમાં ગોઠવાયેલી છે . માનવ સૃષ્ટિનો એક ભાગ છે તેનો નિયામક નથી એટલે કુદરતી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવું એ માનવધર્મ બની  રહે છે .


 પૃથ્વી પર રહેલા પ્રાકૃતિક તત્ત્વોના આધારે માનવીએ જીવાવિકાની શરૂઆત કરી છે , ધીરે ધીરે આ પ્રાકૃતિક તત્ત્વો પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું . હવા , પાણી , ખનિજ સંપત્તિનો ઉપયોગ કર્યો . કુદરતે જ્યારે જીવસૃષ્ટિ અને માનવસૃષ્ટિની રચના કરી ત્યારે સર્વેને ખોરાક અને પોષણ મળી રહે તેવી રચના કરી હતી . ‘ જીવઃ જીવસ્ય જીવનમ્ ' એટલે કે એક જીવ બીજા જીવનો પોષક છે . એક જીવ પોતાનું પોષણ મેળવવા બીજાનો સંહાર કરતો અને બીજો જીવ ત્રીજાનું પોષણ બનતો હતો . આમ એકબીજાના સહારાથી પ્રત્યેકનું જીવન પસાર થતું હતું . કુદરત દ્વારા જીવનસૃષ્ટિ , વનસૃષ્ટિ , માનવસૃષ્ટિનું સંયોજન કરવામાં આવ્યું હતું . 

માનવીએ પોતાના ભૌતિક સુખ - શાંતિ સંપત્તિ અને સુવિધાઓ વધારવા બુદ્ધિ અને વિજ્ઞાનને કાર્યન્વિત કર્યા , પરિણામે યંત્રો અને ટેકનોલોજીનો વિકાસ થયો . સુખમય જીવન અને આયુષ્ય વૃદ્ધિ માટે વિવિધ ઔષધો શોધાયા , તેને કારણ માનવીની વય મર્યાદા વધી ગઈ . આમ , કુદરતી રચનામાં માનવી દખલગીરી કરતો ગયો અને તેમાંથી પર્યાવરણની વિવિધ સમસ્યાઓ ઉપસ્થિત થઈ .


 • માનવીએ પોતાની વિવિધ જરૂરિયાતો અને સુખ સગવડોને પોષવા પ્રકૃતિ સાથે સ્વાર્થી વ્યવહાર કર્યો . આવો સ્વાર્થી વ્યવહાર વધતો ગયો તેમ આ પર્યાવરણનો પ્રશ્ન વધુ વિકટ બનતો ગયો . આમ , માનવીના પ્રકૃતિ સાથેના વ્યવહારમાંથી જન્મતી અસમતુલા એટલે પર્યાવરણનો પ્રશ્ન . આ પ્રશ્નને લઈને વિશ્વભરમાં ચિંતા અને ભય સેવાય છે . 


વિકસતા દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીને ક્ષેત્રે હરણફાળ ભરીને સિદ્ધિના સોપાનો સર કરે છે . વિકાસશીલ દેશો તેમનું અનુકરણ કરીને ઝડપી વિકાસ કરવા પર ધ્યાન આપે છે , પરંતુ તેમાં પર્યાવરણ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે અને લાભ તથા ખર્ચના વિશ્લેષણની વિગતવાર ચર્ચા થાય છે . અદ્યતન ટેકનોલોજીના બેદરકારીભર્યા ઉપયોગોએ આપત્તિ સર્જી છે . કુદરતી સાધન સંપત્તિને પચાવી પાડી છે . 


પર્યાવરણની સમસ્યાઓમાં મુખ્યત્વે માનવીય ટેકનોલોજીને જવાબદાર માનવામાં આવે છે . કુદરતી સાધનોનો ઉપયોગ વધતો જવાને લીધે કેટલાક સાધનો ખલાસ થતા જાય છે , જેની પુનઃ પ્રાપ્યતા થવાની સંભાવના ઓછી છે . સમગ્ર પૃથ્વીને જોખમી બનાવીને આપણે આપણી જીવનરેખાને ગુંગળાવી રહ્યાં છીએ . આને લીધે માનવીના અસ્તિત્વનો અને સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય છે


.આમ , પર્યાવરણ એ જીવનશૈલી સાથે સંકાળયેલ છે . ૨. પર્યાવરણ એટલે શું ? .


 • સામાન્ય અર્થ પ્રમાણે પર્યાવરણ એટલે વાતાવરણ જેમાં હવા , પાણી , જંગલ , વૃક્ષો વગેરેને ગણાવી શકાય . પર્યાવરણ એટલે તમામ પ્રાણીઓના વિકાસ અને જીવન પર પ્રભાવ પાડતી તમામ શરતો અને અસરોનો સમૂહ , ' ' પૃથ્વીની સપાટી પરની કુદરતી બાબતો અને સજીવો વચ્ચેના સંબંધોને પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ . . પર્યાવરણના શાબ્દિક અર્થ વિશે વિચારીએતો તેમાં બે શબ્દો સમાયેલા છે ,


પર્યાવરણ . પરિ + આવરણ = પર્યાવરણ કે ‘ પરિ ’ નો અર્થ થાય છે 

આસપાસ કે આજુબાજુ અને આવરણ એટલે પડ કે આચ્છાદાન એટલે કે જળ , જમીન , વાયુ , પ્રાણી , વૃક્ષો અને પ્રકૃતિનું આપણી આસપાસનું આવરણ , વિશિષ્ટ સપાટી , સ્તર કે પડ . જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ . 


પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલું વિવિધ આવરણોમાં મિશ્રણ સમાન વિશિષ્ટ આવરણ એટલે પર્યાવરણ , આમ , પર્યાવરણની અંદર આપણા જીવનની આસપાસની તમામ વસ્તુઓની ગણતરી લેવી ફરજિયાત બને છે . વિશ્વકોષ મુજબ પર્યાવરણનો અર્થ છે , બધી જ દિશાઓ , પ્રણાલીઓ અને પ્રભાવોનો યોગ જે જીવો અને એની જાતિઓના વિકાસ , જીવન અને મૃત્યુને પ્રભાવિત કરે છે . 


* પર્યાવરણને અંગ્રેજી ભાષામાં . Environment કહેવાય છે . વાતાવરણ મૃદાવરણ પર્યાવરણમાં બીજી રીતે જોઈએ તો કેટલાંક આવરણો સમાયેલાં છે . પર્યાવરણ આ બધા જ આવરણનો સરવાળો એટલે પર્યાવરણ , વાતાવરણમાં પૃથ્વીની જલાવરણ જીવાવરણ આજુબાજુની સમગ્ર બાબતોનો સમાવેશ થાય છે . . . જીવાવરણમાં સમસ્ત જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે . જલાવરણમાં પૃથ્વી પરના જળનો સમાવેશ થાય છે . મુદ્દાવરણ એ પૃથ્વીની સપાટી પરનું પડ છે . વાતાવરણમાં વાયુઓનો સમાવેશ થાય છે . આમ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલા વિવિધ આવરણોનું મિશ્રણ એટલે પર્યાવરણ , પર્યાવરણમાં પાણી , હવા અને જમીન , માનવો , અન્ય જીવંત પ્રાણીઓ , વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતાં આંતર સંબંધોનો સમાવેશ થાય છે .


 * સરળ ભાષામાં સજીવો અસ્તિત્વ ધરાવી શકે તે જૈવ વિસ્તાર છે અને જૈવ વિસ્તાર એ પૃથ્વીનું પર્યાવરણ છે અને હવા , પાણી , જમીન , પ્રકાશ , નદી , તળાવ , સમુદ્ર , વાતાવરણ , વૃક્ષો , વન્ય પ્રાણીઓ વગેરે કુદરતી તત્ત્વો એ પર્યાવરણનાં તત્ત્વો છે . 


ટૂંકમાં , કહીએ તો આપણી આસપાસની પરિસ્થિતિ એટલે આપણું પર્યાવરણ . સજીવ સૃષ્ટિની આસપાસ વીંટળાયેલું નૈસર્ગિક ધટકોનું આવરણ એટલે કયા ઘટકો ? તો કહી શકાય કે કુદરત નિર્મિત ભૂમિ સપાટી , ભૂમિ આકારો , હવા , પાણી , સૂર્યપ્રકાશ , વનસ્પતિ , પ્રાણીસૃષ્ટિ વગેરે અનેક ઘટકો જે માનવસમૂહની આસપાસ જે તે પ્રદેશ પ્રમાણે પથરાયેલા જોવા મળે છે . પૃથ્વીની સપાટી પરની ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ .


 • આ દૃષ્ટિએ વિચારતાં માનવ અને જીવસૃષ્ટિની આજુબાજુ રહેલા સઘળા પ્રાકૃતિક તત્ત્વોના સમૂહનો સમાવેશ પર્યાવરણમાં થયો છે ( * ) 


• એન.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રકાશિત એક પાઠયપુસ્તકમાં પર્યાવરણ અંગે લખ્યું છે કે ... The environment in which we live consists the four major elements land , water , air and living organisms . ' 


• અર્થાત્ પર્યાવરણ કે જેમાં આપણે સૌ નિવાસ કરીએ છીએ તે ચાર મુખ્ય તત્ત્વોનું બનેલું છે , જેમાં ભૂમિ , પાણી , હવા અને સજીવ સૃષ્ટિ કે જૈવ જગતનો સમાવેશ થાય છે . આ ચાર તત્ત્વો કે ઘટકોના બનેલા કુદરતી આવરણને પર્યાવરણ કહે છે . . 


Environment શબ્દ ફ્રેંચ ભાષાના Enviros શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે , જેનો અર્થ થાય છે – ચારે બાજુથી ઘેરવું . આસપાસની સૃષ્ટિ અર્થાત્ પર્યાવરણ ની નજીકનો શબ્દ Ecology – પરિસ્થિતિનું કે સંતુલન શાસ્ત્ર છે . 


Eco – એ ગ્રીક Okios નામના મૂળ ગ્રીક શબ્દ પરથી આવેલો છે જેનો અર્થ થાય છે , પરિવાર સંબંધિત કે પરિવાર વિશેનું શાસ્ત્ર , નિવસનશાસ્ત્ર કે પર્યાવરણ પરિવાર સંબંધિત છે . ટૂંકમાં આપણે જ્યાં રહીએ છીએ , જે હવા અને પાણીથી ઉછરી રહ્યા છીએ તેવા વિશાળ વસવાટની વાટ એટલે ઈકોલોજી , પર્યાવરણ અને તેમાં વસતા સજીવો પરસ્પર આધારિત છે . 


પર્યાવરણ અને તેમાં વસતા સજીવો એક તંત્રની રચના કરે છે , જેને Eco system એટલે કે નિવસનતંત્ર કહે છે . પૃથ્વી એ આપણું ઘર છે . સંસ્કૃતમાં ‘ નીડ ’ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ માળો ’ કે ઘર . આ બધા અર્થમાં તો પર્યાવરણ વૈશ્વિક પર્યાવરણનો અર્થ ધરાવે છે . 


આપણી આસપાસ જોઈ શકાતી અને અનુભવી શકાતી તમામ ભૌતિક બાબતોના સંયુક્ત સ્વરૂપને પર્યાવરણ કહી શકાય . સ્વસ્થ પર્યાવરણમાં શુદ્ધ હવા , નિર્મળ જળ ભંડારો , ફરતી વનરાજી , સમગ્ર જીવસૃષ્ટિ એ તમામનો સમાવેશ થાય છે . વિશાળ અર્થમાં જોઈએ તો હવા , પાણી , જમીન , વનવિસ્તાર , દરિયાઈ , જંગલી અને પાલતુ પ્રાણીઓ પશુ - પક્ષીઓ અને માનવજીન વચ્ચેનો ઉચિત સમન્વય એ પર્યાવરણ છે . 


પર્યાવરણ માટે અંગ્રેજીમાં Environment શબ્દ છે . આ શબ્દ Environ એટલે આવરણ પરથી બન્યો . કોઈ પણ આવરણ સજીવ કે નિર્જીવ પદાર્થની ફરતે એટલે કે ચારે બાજુ હોવાથી તેને પિર આવરણ તરીકે ઓળખવામાં આવે છે . અને પરિ + આવરણ શબ્દોની સંધિ કરતા પર્યાવરણ શબ્દ બન્યો . સજીવોની આસપાસ હવા , પાણી અને જમીન આવેલા હોવાથી તેઓ સજીવોનું પર્યાવરણ બનાવે છે . કોઈ પણ સજીવ પર્યાવરણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે અને પરસ્પરાવલંબી છે . પ્રાકૃતિક તત્ત્વોમાં ભૌગોલિક સ્થાન , ભૂપૃષ્ઠ , જળસ્વરૂપો , આબોહવા , વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે . માનવીના આસપાસ રહેલી જીવસૃષ્ટિ અને પ્રાકૃતિક તત્ત્વો માનવીનું પર્યાવરણ છે . 


પૃથ્વીના મૃદાવરણ , જીવાવરણ , જલાવરણ અને વાતાવરણનો આવા તત્ત્વોમાં સમાવેશ થાય છે , પર્યાવરણ આ ચાર આવરણોનું બનેલું સંયુક્ત આવરણ છે . આ સિવાય માનવીએ સર્જેલ સાંસ્કૃતિક આવરણ પણ પર્યાવરણનો એક ભાગ છે . પર્યાવરણ આ પંચાક્ષરી શબ્દનો અર્થ વિજ્ઞાન અને ભૂગોળ અલગ રીતે આપે છે . જેમકે , પર્યાવરણ એટલે પૃથ્વીની સપાટી પરની ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધની કડી , 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ