માપનના પ્રકારો ( 1 ) પ્રત્યક્ષ માપન (2) પરોક્ષ માપન (3)સાપેક્ષ માપન
( 1 ) પ્રત્યક્ષ માપન
👉લંબાઈ , પહોળાઈ , ઊંચાઈ , વજન જેવી બાબતોનું માપન પ્રત્યક્ષ માપન
(2) પરોક્ષ માપન
👉ઠંડી , ગરમીનું પ્રમાણ જાણવા તથા
અદેશ્ય માપન માટે
(3)સાપેક્ષ માપન
👉મનોવૈજ્ઞાનિક - કસોટીઓ દ્વારા થતું માપન જેમાં સરેરાશ સાથે દરેક વ્યક્તિને સરખાવવા માટે , વિદ્યાર્થી હોશિયાર છે કે નબળો તે જાણવા માટે
( 1 ) પ્રત્યક્ષ માપન
👉કોઈપણ વ્યક્તિ , કોઈપણ સમયે , કોઈપણ સ્થળે કોઈ બાબતનું માપન કરે તો પણ તેનું માપ ચોક્કસ અને એક સરખું જ આવે તો તેને પ્રત્યક્ષ માપન કહેવાય . તેનું અર્થઘટન પણ દરેક સ્થળે , દરેક સમયે અને દરેક વ્યક્તિ માટે એકસરખું જ થાય .
👉 જો માપવાનું સાધન સાચું અને પ્રમાણિત હોય , તો પ્રત્યક્ષ માપ હંમેશાં ચોક્કસ અને એકમૂલ્ય હોય છે .
👉 આ પ્રકારના માપનમાં આકાર , કદ , અંતર , લંબાઈ , ઊંચાઈ , વજન કે જેને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ , છીએ તે એકમોનો સમાવેશ થાય છે .
👉આ પ્રકારનું માપન ભૌતિક અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ માટે કરી શકાય છે . દા.ત. , ટેબલની લંબાઈ અને પહોળાઈ , વિદ્યાર્થીનું વજન અને ઊંચાઈ વગેરે .
( 2 ) પરોક્ષ માપન :
👉આ પ્રકારના માપનને અદેશ્ય માપન પણ કહે છે .
👉 કેટલીક ભૌતિક રાશિઓ એવી હોય છે કે જેને આપણે જોઈ શકતા નથી .
👉પરંતુ અનુભવ કરી શકીએ છીએ . ગ ૨ મી - ઠંડીનું પ્રમાણ , ભેનું પમાણ , ધરતીકંપની તીવ્રતાને આપણે જોઈ શકતા નથી , પરંતુ અનુભવ કરી શકીએ છીએ .
(3)સાપેક્ષ માપન :
* મનોવૈજ્ઞાનિક , સામાજિક અને શૈક્ષણિક સિદ્ધિના માપન સાપેક્ષ પ્રકારના માપન ગણાય છે .
👉આ પ્રકારના માપનમાં તમામ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા કરવામાં આવતા માપનનો સમાવેશ થાય છે . દા.ત. , વિઘાર્થીઓની બુદ્ધિ , સિદ્ધિ , વલણ , રસ , વ્યક્તિત્વ , અભિયોગ્યતા વગેરે જેવાં લક્ષણોનાં માપ ભૌતિક સાધન વડે કાઢી ન શકાય ( માપી ન શકાય ) તે માટે જે - તે લક્ષણ માટેની નિશ્ચિત થયેલી મનોવૈજ્ઞાનિક કસોટીનો જ ઉપયોગ કરવો પડે .
👉 આ કસોટીઓ આખા સમૂહને આપવામાં આવે છે અને વ્યક્તિની શક્તિઓ વિશે ખ્યાલ મેળવવામાં આવે છે . ત્યારબાદ કોઈ ચોક્કસ માપદંડ સાથે વ્યક્તિની સરખામણી કરવામાં આવે છે અને તેના આધારે વ્યક્તિની બીજાની સાપેક્ષમાં તુલના કરવામાં આવે છે .
👉 આ પ્રકારનું માપન પ્રત્યક્ષ માપન જેટલું ચોક્કસ હોતું નથી , કારણ કે સાપેક્ષ માપનનો આધાર ઘણાં પરિબળો પર રહેલો હોય છે .
👉કોઈ કસોટીનું માપન કરતી વખતે તે કસોટીમાં મેળવાતી સિદ્ધિનો આધાર વિદ્યાર્થીની માનસિક સ્થિતિ , કસોટી લેનારનું વર્તન , પરીક્ષા સ્થળનું વાતાવરણ , ભૌતિક સગવડો વગેરે જેવાં અનેક પરિબળો પર રહેલો છે .
👉કોઈ એક વિદ્યાર્થી કોઈ એક વિષયમાં કે લક્ષણમાં અમુક ગુણ મેળવે તો તેનું અર્થઘટન જુદી - જુદી પરિસ્થિતિમાં અને જુદા - જુદા સ્થળે એક સરખું થતું નથી . દા.ત. 90 ગુણ મેળવનાર વિદ્યાર્થી 45 ગુણ મેળવનાર વિદ્યાર્થી કરતાં બમણો હોશિયાર છે , તેવું અર્થઘટન પણ સાચું નથી .
👉ઉપરાંત ગુજરાતી અને ગણિત એ બંનેમાં એકસરખા ગુણ મેળવનાર વિદ્યાર્થી ગુજરાતી અને ગણિતમાં એક સરખો હોશિયાર છે , તેવું અર્થઘટન પણ સાચું નથી . આમ , આ ઉદાહરણો પરથી કહી શકાય કે , શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક માપન એ સાપેક્ષ પ્રકારનાં માપન છે
0 ટિપ્પણીઓ